પીએમ મોદી અને સંત મોરારીબાપુની કરુણા અમ્ફાનગ્રસ્તો સુધી, કરી આવી જાહેરાત


એક તરફ દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે તો  બીજી તરફ ચક્રવાત અમ્ફાને  ગઈકાલે તબાહી સર્જી છે. અમ્ફાનની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે. અહીં આવેલા ચક્રવાતને કારણે ગઈકાલથી આજદિન સુધી 8૫ લોકોનાં મોત નીપજ્યાં છે. અને બંગાળમાં એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સ્થિતિને જોતા પીએમ મોદી આજે કોલકાતા પહોંચ્યા છે અને મમતા બેનરજી સાથે અમ્ફાન દ્વારા સર્જાયેલ વિનાશનું સર્વેક્ષણ હાથ ધરશે. પીએમ નરેન્દ્ર મોદી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ સર્વેક્ષણ માટે હેલિકોપ્ટર મારફતે રવાના થાય છે. પીએમ મોદી કોરોના વાયરસમાં ચાલી રહેલા લોકડાઉનમાં 83 દિવસ પછી પહેલીવાર દિલ્હી છોડીને બહાર નીકળ્યા છે. પશ્ચિમ બંગાળની સાથે ઓરિસ્સામાં પણ અમ્ફાને પાયમાલી કરી છે, પરંતુ બંગાળની સરખામણીએ ઓછું નુકસાન થયું છે. પીએમ નરેન્દ્ર મોદી ઓડિશામાં પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. બંગાળમાં ચક્રવાતને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 2.5 લાખની સહાય આપવામાં આવશે. બીજી તરફ કરુણાનાં સાગર સંત મોરારીબાપુ દેશ પર આવી પડેલ દરેક કુદરતી આફતો વખતે મદદનો હાથ લંબાવી ભોગ્રસ્ત પરિવારોના આસું લુછવા પ્રયાસ કર્યો છે. આ વખતે પણ બાપુની કરુણા છ્લ્કાઈ અને પ્રત્યેક મૃતક પરિવારને પાંચ – પાંચ હજારની સહાયની જાહેરાત કરી છે. 

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે