પાલ આંબલિયા સામેની પોલીસ કાર્યવાહી સરકારના ઈશારે : દ્વારકા એનએસયુઆઈ
અને અધિકાર હોય તો રાજકોટમાં કલેકટરના માધ્યમથી ડુંગળી, કપાસ અને એરંડા PM કેર ફંડમાં જમા કરવા ગયેલા ખેડૂતોની ધરપકડ શા માટે....????ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા, ગિરધરભાઈ વાઘેલા, ચેતન ગઢિયા, દેવુભાઈ ગઢવી, પ્રવીણ પટોડીયા ની ધરપકડ કેટલી વ્યાજબી......????
સરકાર અને પોલીસ પાલભાઈ આંબલીયા અને ખેડુત આગેવાનો ને તાત્કાલિક તેમના પર કરેલા કેસો પાછા ખેંચવામાં આવે અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહિ કરવામાં આવે એમ રજુઆતમાં માંગણી કરવામાં આવી છે. તેવી રજુઆત કલેક્ટર ને આવેદન આપી કરવામાં આવી. જો ખેડુત આગેવાનો ને આમજ ખોટી રીતે હેરાન કરવામા આવશે તો સમગ્ર ગુજરાત માં ખેડુતો રસ્તા પર આવવા મજબુર બનશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ કરશે. આવેદનપત્ર આપવા પ્રમુખ દાના માડમ,કોંગ્રેસ શહેર મહામંત્રી હિતેશ નકુમ, NSUI ઉપપ્રમુખ ગોવિંદ આંબલિયા, અને યુથ કોંગ્રેસના દેવ ચાવડા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Post a Comment