જામનગર : રાજકોટ ખાતે ખેડૂતહિતની લડાઈ લડનાર કોંગ્રેસના નેતા પાલ આંબલીયા પર પોલીસે ગુજરેલ દમનને લઈને કોંગ્રેસ કાળજાળ થઇ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસથી માંડી કોંગ્રેસ હાઈ કમાન્ડ સહીતે પોલીસ દમનને કડક શબ્દોમાં વખોળી કાઢયો છે. જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાલીયાના ધારાસભ્ય વિક્રમ માડમે આ ઘટનાની નિંદા કરી પોલીસના હિચકારા હુમલા સમાન ગણી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ ભાન ભૂલી છે. પોલીસ બીજાનો ખાર કોંગ્રેસ પર ઉતારી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસની લોકડાઉનની કામગીરી સામે શંકાઓ કરી. આ કપરા કાળમાં રાજકોટ પોલીસે તમાકુ બીડીના ધંધા કર્યા ત્યારે પોલીસ અધિકારીઓ ક્યાં ગયા હતા ? એવા વેધક પ્રશ્નો કરી પોલીસ કોંગ્રેસની શાંતિને નપુસંકતા ન ગણે એમ જણાવી સમયે જવાબ આપવામાં આવશે અને સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગણી કરી છે. સમગ્ર પ્રકરણ અંગે શુ કહ્યું વિક્રમ માડમે જુઓ વિડીઓ.
જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા સોમવારની ઇદની જાહેર રજા હોવાથી તમામ પ્રકારનો વ્યાપાર બંધ રહ્યો હતો. આવતીકાલ મંગળવારના રોજ અજમા, ધાણા, લસણ, ઘઉં, કપાસ સહિતની આવક થનાર છે. યાર્ડ ખાતે સવારે 6-30 થી 10 વાગ્યા દરમ્યાન કપાસની આવક થશે. જયારે તલ, મગ, અળદ, બાજરો, તુવેર, મઠ, મેથી, ચોરી, મરચા, મગફળીની હરરાજી માટે આવકનો સમય રાત્રે 8 થી 12 વાગ્યા સુધી રહેશે. આમ જામનગર માર્કેટીંગ યાર્ડમાં હવે ખેડુતોને પોતાના ખેત ઉત્પાદન વેંચવા માટે ઓપન આવકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાતથી ખેડુતમાં આનંદની લાગણી ફેલાઇ છે. શનિવારના રોજ ચણા, ઘઉં, ધાણા, મગની હરરાજી થઈ હતી. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, યાર્ડ ખાતે ધાણાની હરરાજી માટે 100 ખેડૂતોમાંથી 96 ખેડુતો પોતાના ધાણાના વેંચાણ માટે આવ્યા હતાં. યાર્ડ ખાતે ધાણાની આવક 2196 ગુણી અને મણનો ભાવ રૂા. 750 થી 1320 રહ્યો હતો.આ ઉપરાંત ઘઉંની હરરાજી માટે 175 ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 110 ખેડુતો હાજર રહ્યા હતા.યાર્ડ ખાતે ઘઉંની આવક 15640 મણ આવક થઈ છે અને પ્રતિ મણનો ભાવ રૂા. 335 થી 365 વચ્ચે રહ્યો હતો. આ ઉપરાંત મગની હર...
Comments
Post a Comment