જામનગર : રાજકોટ ખાતે ખેડૂતહિતની લડાઈ લડનાર કોંગ્રેસના નેતા પાલ આંબલીયા પર પોલીસે ગુજરેલ દમનને લઈને કોંગ્રેસ કાળજાળ થઇ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસથી માંડી કોંગ્રેસ હાઈ કમાન્ડ સહીતે પોલીસ દમનને કડક શબ્દોમાં વખોળી કાઢયો છે. જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાલીયાના ધારાસભ્ય વિક્રમ માડમે આ ઘટનાની નિંદા કરી પોલીસના હિચકારા હુમલા સમાન ગણી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ ભાન ભૂલી છે. પોલીસ બીજાનો ખાર કોંગ્રેસ પર ઉતારી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યએ પોલીસની લોકડાઉનની કામગીરી સામે શંકાઓ કરી. આ કપરા કાળમાં રાજકોટ પોલીસે તમાકુ બીડીના ધંધા કર્યા ત્યારે પોલીસ અધિકારીઓ ક્યાં ગયા હતા ? એવા વેધક પ્રશ્નો કરી પોલીસ કોંગ્રેસની શાંતિને નપુસંકતા ન ગણે એમ જણાવી સમયે જવાબ આપવામાં આવશે અને સરકારે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગણી કરી છે. સમગ્ર પ્રકરણ અંગે શુ કહ્યું વિક્રમ માડમે જુઓ વિડીઓ.
જામનગર : જામજોધપુર તાલુકાના ઘેલડા ગામે તાલુકા પોલીસે ડાયાભાઇ માલદેભાઇની વાડીમાં રેડ પાડી હતી. જેમાં ગાંઠીયા પાર્ટીની મોજ માળી રહેલા કમલેશ ડાયા કારેણા , ખીમા માલદે કારેણા , જીતેશ વસરામ કારેણા , હરીશ કરશન કારેણા , હિરેન વસરામ કારેણા , દિનેશ ગોવા કારેણા , રાહુલ વીરા બગડા , શૈલેષ કારા પીપરોતર , મહેશ કાના પીપરોતર અને હરેશ નથુભાઇ કારેણા નામના શખ્સોને આંતરી લીધા હતાં. આ તમામ સખ્સોને લોકડાઉન સબંધિત જાહેરનામાની સમજ હોવા છતા વાડીમા ગાઠીયા ખાવાનો પ્રોગ્રામ રાખી, મોઢે માસ્ક બાંધેલ ન હોય અને જરૂરી કારણ વગર ઘરની બહાર નીકળી મોઢે માસ્ક નહી બાંધી સરકાર ગાઇડ લાઇનનુ પાલન ન કરી જીલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મળી આવ્યા હતા. પોલીસે તમામ સખ્સો સામે આઈપીસી કલમ ૧૮૮ , ૨૬૯ , તથા ગુજરાત પોલીસ અધિનીયમની કલમ ૧૩૯ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ ૫૧ મુજબ ફરિયાદ નોંધી હતી. જામજોધપુરથી કોઇએ ફોન કરી પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. ત્યારબાદ જામજોધપુર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Comments
Post a Comment