જામનગર : હવાઈ માર્ગે આવેલા નાગરિકો તંત્રનો સંપર્ક કરે, નહીંતર....



જામનગરમાં કોરોના વાયરસ સંક્રમિત થતો અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં જે દર્દીઓ સામે આવ્યા છે જેમાના મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જેને લઈને જામનગરમાં લોકલ સંક્રમણ અટકે તે હેતુથી આરોગ્ય અને પોલીસે ક્વોરેન્ટાઈન કાર્યવાહીને વધુ મહત્વ આપ્યું છે છતાં પણ બહારથી આવતા નાગરિકો પોતાની ઓળખ છુપાવી શહેરમાં આવી જતા હોવાની વિગતો સામે આવી છે જેમાં મુબઈથી ફ્લાઈટ વાટે રાજકોટ આવી જામનગરમાં આવી જતા નાગરિકો વિશેષ છે એવી બાબતો સામે આવતા પોલીસ વડા શરદ સિંઘલએ ચેતવણી આપી નાગરીકોને સામે આવવા અપીલ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે